નેશનલ હાઈ વે દિવસને દિવસે ખતરનાક બની
રહ્યો છે. સમયાંતરે થઈ રહેલા અકસ્માતોને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં
છે. રાત્રિ દરમ્યાન નેશનલ નંબર હાઈવે નંબર આઠ પર અકસ્માતોનો સીલસીલો વધી જવા
પામ્યો છે. ઉલ્લેખનીય છેકે વર્તમાન સમયમાં નેશનલ હાઈવે નંબર આઠ ઉપર કામગીરી ચાલી
રહી છે. જે માટે રોડનું બન્ને બાજુ ખોદાકામ થયેલ છે. જે કારણોસર રાત્રિ દરમ્યાન
અકસ્માતો વધી જવા પામ્યાં છે.
E-PAPER
નાનકડાં ગામે ગરીબોનું સરકારી અનાજ ઝડપાયું
આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ સક્રિય બની
જતાં ઘઉં અને મીઠાના જથ્થો પકડવામાં સફળતા મળી છે. છેલ્લા અનેક દિવસોથી પંથકમાં
ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા બે દિવસથી
તપાસનો ધમધમાટ તેજ કરી દીધો હતો. જેની અસરથી વાસદ નજીક આવેલા આંકલવાડી ગામમાંથી
176 કટ્ટા ઘઉં અને 1960 થેલી મીઠ્ઠાની મળી આવી છે.
All right reserved by : ચરોતરનો અવાજ |