ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

શાકભાજીના ભાવ ગગડતા હાશકારો

ઉંચે ચઢેલા શાકભાજીના ભાવવધારે મધ્યમ વર્ગની પરેશાની વધારી દીધી હતી. પરંતુ હવે જાણે મધ્યમ વર્ગને શ્રાવણ મહિનો ફળ્યો હોય તેમ 26મી ઓગષ્ટથી શાકભાજીના ભાવ સતત ઘટાડો  નોંધાય રહ્યો છે. 

રાંધણછઠ્ના દિવસથી ચરોતર પંથકના શાક માર્કેટમાં માલની પુષ્કળ આવક શરૂ થવા પામી હતી. જેથી શાકભાજી ત્યારથી ભાવમાં ઘટાડો નોંધાય રહ્યો હતો. જોકે શીતળા સાતમે ભાવ સ્થિર રહેશે કે કેમ તેની પરીક્ષા થઈ જવા પામી હતી. શીતળા સાતમના દિવસે ખરીદી અને આવક બન્ને ઓછી હતી તેમ છતાં  ભાવ નીચા રહ્યાં હતા અને ત્યારબાદના દિવસે જન્માષ્ટમીની રજા હતી પરંતુ જ્યારે 29મી ઓગષ્ટે માર્કેટ ખુલ્યું ત્યારે ભાવ ઉંચા રહેશે તેમ લોકો આશા સેવી રહ્યાં હતા પરંતુ તેમ બન્યું ન હતું. જેથી જાણકારોને આશા છેકે હવે શાકભાજીના ભાવ સ્થિર રહેશે.


આ ઉપરાંત આ શાક માર્કેટ સાથે સંકળાયેલા લોકોના મતે ત્રણ મહિનાના સતત વરસાદ બાદ આકાશ ઉઘડી ગયું છે. જેના કારણે  શાકભાજીના ઉત્પાદન જબરજસ્ત આવ્યું . રાજ્યભરમાં શાકભાજીનો મોટો ઉતારો આવતા તેમજ મહારાષ્ટ્રના નાસીકની આવક પણ બમ્પર થતાં તમામ  શાકભાજીના ભાવ ઘટી ગયા છે.

વર્તમાન ભાવ પર એક નજર

ચરોતર પંથકના આણંદ શહેરમાં આવેલ મોટી માર્કેટમાં ગવાર,ચોળી,રીંગણ 20 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે જ્યારે પરવર,કંકોડા,ગીલોડાં,ફ્લાવર અને કોબીજ 40 રૂપિય પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. જ્યારે સવાની ભાજી અને પાલખની ભાજી 20થી 30 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. વર્તમાન સમયમાં મેથીની ભાજીનો ભાવ 60 રૂપિયે પ્રતિ કિલોના ભાવે અને ટામેટા 30 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. સપ્તાહ પહેલા આ શાકભાજીનો ભાવ ડબલ હતો. જે અત્યારે અડધો થઈ ગયો છે.


રાકેશ પંચાલ, ફોટો : ઈકબાલ સૈયદ
News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |