ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આસારામની જામીન પર ટકી આસ

જોધપુર પોલીસે આજે સોમવારે કોર્ટમાં આસારામ સાથે પૂછપરછ કરવા માટે વધુ રિમાન્ડની માંગ ન કરી અને તપાસ પુરી થઈ ગઈ છે તેમ જણાવતાં જોધપુર કોર્ટે આસારામને 14 દિવસ માટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આસારામના વકીલ દ્રારા જામીન અરજી કરવામાં આવી છે જેની સુનાવણી મંગળવારે થવાની છે. 


જોધપુર પોલીસના મતે તેમની તપાસ અને પુછપરછ પૂર્ણ થઈ છે અને તે દરમ્યાન તેમને પુરાવા મળ્યાં છે. જેથી જોધપુર કોર્ટે આસારામને 14 દિવસની જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દીધા છે .અને તે 15મી ઓગષ્ટ સુધી રહેશે. આસારામે જેલમાં પુજા પાઠ કરવા માટેની પરવાનગી માંગી છે અને જેલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમને સરળતાથી પરવાનગી મળી જશે. જ્યારે જોધપુર કોર્ટે તેમને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો ઓર્ડર આપ્યો ત્યારે કોર્ટ પરિસરમાં સમર્થકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. જે દરમ્યાન તેમનો શિકાર મીડિયાકર્મી બન્યાં હતા. જોકે પોલીસે સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી. અને લાઠ્ઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 

આસારામના વકીલ દ્રારા જે જામીન અરજી કરવામાં આવી છે તેની સુનાવણી મંગળવારે થવાની છે ત્યારે હવે જોવાનું તે રહે છેકે આસારામની જ્યુડીશ્યલ કસ્ટડી યથાવત રહે છે પછી જામીન મંજૂર થઈ જાય છે. 

રાકેશ પંચાલ
News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |