ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સંઘની મ્હોર પાક્કી બસ હવે માત્ર ઈન્તજાર

સંઘ પ્રવક્તા રામ માધવે મીડિયા સમક્ષ  વડાપ્રધાન પદના ઉમેદવાર માટે  મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામને લઈને નિવેદન આપ્યું હતું કે દેશને પરિવર્તનની જરૂર છે અને તે માટે બે દિવસીય બેઠકમાં ચર્ચા થઈ હતી. અને તે દરમ્યાન સંઘે મુખ્યમંત્રી મોદીના નામ પર મ્હોર મારી દીધી છે. અને તે બાબતે ભાજપને જણાવી દેવામાં આવ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે ભાજપ દ્રારા સમયની રાહ જોવામાં આવી રહી છે. ભાજપ દ્રારા 17મી સપ્ટેમ્બર દ્રારા વડાપ્રધાન પદના ઉમેદવાર માટે મોદીના નામની જાહેરાત કરી દેશે. 


જ્યારે ભાજપ અને સંઘની સમન્વય સમિતિની બેઠક પૂર્ણ થઈ ત્યારે વહેતા સમાચારો અને હકીકત છુપાવાની કોશિશ જે સંઘ દ્રારા કરવામાં આવી હતી તે હકીકત સંઘ પ્રવક્તા રામ માધવના નિવેદનથી છતી થઈ જાય છે.


Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |