ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

યુપીએ સરકારની વધુ એક મહત્વકાંક્ષી યોજના

યુપીએ સરકાર શહેર અને ગ્રામીણ લોકો વચ્ચેની દૂરીને દૂર કરવા માટે ડીજીટલ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના ઈરાદે નવી યોજના લાવી રહી છે.  જેમાં ગરીબોને મફ્તમાં મોબાઈલ અને ટેબલેટ આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ, આ વિશાળકાય યોજના હેઠળ અઢી કરોડ મોબાઈલ અને નેવું લાખ ટેબલેટ આપવામાં આવશે. જેની પાછળ અંદાજિત ખર્ચ 7860 કરોડ આંકવામાં આવ્યો છે. જેની વહેંચણી માટે ચાર વર્ષ જેટલો સમય લાગશે.

આ યોજના હેઠળ ટેબલેટ  ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં અભ્યાસ કરનારા ધોરણ 11 અને 12ના વિધાર્થીઓને માટે છે. જેમાં લિમિટેડ ટોકટાઈમ, એસએમએસ તેમજ ડેટા કનેક્શન સાથે આપવામાં આવશે. જ્યારે મોબાઈલ ફક્ત ગ્રામીણ વિસ્તારોમાં આપવામાં આવશે. જેમાં તેમને બે વર્ષ સુધી ફ્રી કનેક્શન આપવામાં આવશે. જે માટે અમુક નજીવી રકમ લેવામાં આવશે. તે ઉપરાંત દર મહિને અમુક સમયનો ટોક ટાઈમ, એસએમએસ અને ડેટા સુવિધા ફ્રી આપવામાં આવશે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |