ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ગરમ મુદ્દો છોડી દરેક મુદ્દે થઈ ચર્ચા

આઠમી સપ્ટેમ્બરે આરએસએસ અને ભાજપની સમન્વય સમિતિની બેઠક સંપન્ન થયા બાદ આરએસએસ દ્રારા મીડીયા સમક્ષ બેઠક અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોઈ ચર્ચા કે નિર્ણય લેવામાં આવ્યો નથી. અને આ બાબતે વહેતા સમાચારને નકારી કાઢ્યાં હતા. 


ભાજપ અને આરએસએસની સમન્વય બેઠક પૂર્ણ થઈ છે. જોકે ભાજપ તરફથી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોણ રહેશે તે બાબતે કોઈ ચર્ચા થઈ નથી તેમ આરએસએસ દ્રારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે. આ સમન્વય બેઠકમાં કોઈ નિર્ણય લેવા અંગેની ન હતી .પરંતુ અનેક મુદ્દે ચર્ચા કરવા હેતુ યોજવામાં આવી હતી. આ બેઠકમાં દેશની કથળેલી આર્થિક સ્થિતિ, કૃષિનીતિની સમીક્ષા, બાહ્ય તેમજ આંતરિક દેશની સુરક્ષા, રામ મંદિર મુદ્દે ચર્ચા થઈ હતી.  



જોકે હવે મનાઈ રહ્યું છે કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મોદી વિરોધી જૂથ આરએસએસને મનાવી લેવામાં સફળ રહ્યું છે. અથવા તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ આરએસએસ અને ભાજપ દ્રારા નક્કી થઈ ગયુ  છે તે સાથે સર્વસંમતિ થઈ જવા પામી છે. હવે માત્ર યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી છે.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |