માનો તો કણ કણમાં ઈશ્વર છે બસ ફર્ક માત્ર
શ્રદ્ધાનો છે. તેવો જ એક કિસ્સો વાપી શહેર
ખાતે બનવા પામ્યો છે. ગણેશજીની પ્રસાદી
માટે લાવવામાં આવેલા બટેટામાં પણ ભક્તજનોને ગણેશના દર્શન થયાં
શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં પાતળી ભેદરેખા છે. પરંતુ સમય અને સંજોગ શ્રદ્ધામાં ઘણી અગત્યતા ધરાવે છે. જ્યારે સમય ગણેશ ઉત્સવનો હોય અને પ્રસાદીમાંથી શ્રીગણેશની પધરામણી તમારા ઘરે થાય તો કોઈ પણ શ્રદ્ધાવાન ભક્ત તેને નકારી ન શકે . તેવો જ સંયોગ વાપીમાં બન્યો છે.
છેલ્લા બે દિવસથી વાપી પંથકમાં બટેટામાં
ગણેશજી દેખાયા હોવાના સમાચારે લોકોમાં ભારે
કુતુહલ અને આકર્ષણ જમાવ્યું છે. વાપી મર્ચન્ટ ક્રેડીટ સોસાયટીના ચેરમેન
જસવંતભાઈ પટેલે તેમની ઓફિસ નજીક ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેની
માટે પ્રસાદ દરમ્યાન બટેટા લાવવામાં આવ્યા હતાં.
જેમાંથી એક બટેટાનો આકાર શ્રીગણેશ જેવો જ હતો. જેથી મંડળના ભાવિક ભક્તો
દ્રારા તેનું સ્થાપન કરીને પુજા અર્ચના શરૂ કરી દેવામાં આવી હતી. આ સમાચાર વાપી
શહેરમાં ફેલાઈ જતાં લોકો દર્શને આવી રહ્યાં છે.
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
