વંર્ષ 2013માં ઉત્તરાખંડની પ્રાકૃતિક આપદાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા તે સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથને ભારે અસર પહોંચી હતી. જેથી પૂજા-અર્ચના પણ બંધ થઈ જવા પામી હતી. દસમી સપ્ટેમ્બરે કેદારનાથ મંદિરમાંશુદ્ધિકરણની પૂજા બાદ વિધિ-વિધાન જળાભિષેક કરવામાં આવ્યાં હતા. અને ત્યાર બાદ કેદારનાથ ભગવાનના કપાટ ખોલી નાંખવામાં આવ્યા હતાં
મળતી માહિતી મુજબ, કેદારનાથ જવાનો રસ્તો હજુ પણ ઠીક થયો નથી. જે લોકો દસમી સપ્ટેમ્બરે પૂજામાં હાજર હતાં તેમને ત્યાં પૂજા માટે લઈ જવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છેકે 86 દિવસો બાદ દસમી સપ્ટેમ્બરે યાત્રાધામ કેદારનાથમાં પૂજા અર્ચના થવા પામી છે. હજુ સુધી ભક્તોને મંદિરમાં જવાની અનુમિત આપવામાં આવી નથી.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
