ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સુરતમાં સામુહિક આત્મહત્યાનો બનાવ

સુરતના કતારગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બનવા પામી છે. એક પિતાએ પોતાના ત્રણ સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી. જોકે આર્થિક તેમજ અંગત કારણોસર પિતાએ પોતાના ત્રણ સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો હોવાની વિગતો મળી રહી છે.

હિરા કામ સાથે સંકળાયેલ મગનભાઈની પત્નિએ થોડા દિવસો પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. આને આજે ત્રીસમી ઓગષ્ટના રોજ મળતી માહિતી મુજબ મગનભાઈએ પોતાના ત્રણ સંતાનો સાથે જેમાં બે દિકરા અને એક દિકરીનો સમાવેશ છે. તે પરિવારના ચારેય લોકોએ એક સાથે સામુહિક આપઘાત કર્યો છે. હવે આ પરિવારનો એક પણ સભ્ય જીવિત નથી. મનાઈ રહ્યું છેકે પરિવારની આર્થિક સંકટ તેમજ પત્નિ વિરહમાં આ સામુહિક આપઘાત થવા પામ્યો છે. મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છેકે આ પહેલા પણ તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. અને આર્થિક નબળાઈ સામુહિક આપઘાતનું મુખ્ય કારણ હોઈ શકે તેમ મનાઈ રહ્યું છે.

રાકેશ પંચાલ
News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |