ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ખુલ્લેઆમ થતાં ભષ્ટ્રાચારનો પર્દાફાશ

સામાજિક મુદ્દાઓ પર ફિલ્મ બનાવતા પ્રકાશ ઝાએ આ વખતે ભ્રષ્ટાચારને ધ્યાને રાખીને ફિલ્મ બનાવી છે.





સ્ટોરી લાઈન અને પાત્ર

નિવૃત શિક્ષક દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન) એક આદર્શવાદી વ્યક્તિ છે, જેઓ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવવા માંગે છે. તેઓ પોતાના સિધ્ધાંતો પર અડગ છે.

માનવ રાઘવેન્દ્ર (અજય દેવગન) બિઝનેસમેન છે. જે પોતાનો વેપાર વધારવા માટે કાંઇ પણ કરી શકે છે. જ્યારે રાજકારણી બલરામ સિંહ(મનોજ વાજપેયી) સત્તા મેળવવા માંગે છે.

રાજવંશી સિંહ(અર્જુન રામપાલ) જે એક સમયે દ્વારકા આનંદને વિદ્યાર્થી હતો, તે હવે રાજનીતિ કરે છે.

યાસ્મીન ( કરિના કપૂર ) ન્યૂઝ રિપોર્ટર છે.


ભષ્ટ્રાચાર સામે જંગ
એક દુર્ઘટનામાં દ્વારકા આનંદનાં પુત્ર અખિલેશનું મોત થાય છે. જે બાદ મંત્રી બલરામ અખિલેશની પત્ની અમૃતા રાવને વળતર આપવાની જાહેરાત કરે છે. પણ 3 મહિના જેટલા સમય વિત્યા બાદ પણ અખિલેશની પત્નીને વળતર નથી મળતુ. જેથી અમૃતા રાવ કલેક્ટર કચેરી જાય છે. અને શરૂ થાય છે  ભ્રષ્ટાચાર વિરુધ્ધનો જંગ.

ભૂમિકા વિશે.
બીગ બી અમિતાભ બચ્ચને દમદાર ભૂમિકા ભજવી છે. દર્શકોને અમિતાભનો રોલ જરૂર પસંદ આવશે. જ્યારે અજય દેવગન અને મનોજ વાજપેયીએ પોતાનાં ડાયલોગ્સ અને અભિનય દ્વારા સાબિત કર્યુ કે તેઓ ફિલ્મને અલગ ઉંચાઇ આપી શકે છે. જ્યારે કરીના કપૂર અને અર્જુન રામપાલે પોતાનો રોલ શ્રેષ્ઠ રીતે નિભાવ્યો છે.

અંતે જતાં જતાં
ફિલ્મમાં સરકારી કચેરીઓમાં ચાલતો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાથે જ ભ્રષ્ટ રાજનેતાઓની પોલ ખોલવામાં આવી છે.

રાકેશ પંચાલ
News Published By   CNA TEAM, 
For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |