ગુરૂવારે આણંદ જિલ્લાના બોરસદ શહેર ખાતે એક બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ થવા પામી હતી. જેથી પોલીસ દોડતી થઈ જવા પામી હતી. અપહરણકર્તાઓ દ્રારા 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જોકે અપહ્યત બાળકના પિતા આ રકમ આપવાની તૈયારી બતાવી હતી તેમ છતાં બાળકની હત્યા કરી દેવામાં આવી છે.
બોરસદ જેવા નાના શહેરમાં પણ આ પ્રકારની ઘટના બને તે બોરસદના શહેરીજનો માટે ચિંતાનો વિષય છે. જેના વિરોધમાં આજે બોરસદનો વેપારીવર્ગ પણ જોડાયો છે. આજે વેપારીઓ દ્રારા સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છેકે બોરસદ શહેરમાં ગુરૂવારે આઠ વર્ષના બાળકનું અપહરણ થયું હોવાના સમાચાર વહેતા થતાં શહેર ચોંકી ઉઠ્યું હતું. જોકે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસ પોતાની રીતે તપાસ આરંભી દીધી હતી. અપહરણકર્તાઓએ અપહ્યત બાળકના પિતા પાસેથી પચ્ચાસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે અપહ્યત બાળકના પિતાએ આપવાની તૈયારી બતાવી હતી તેમ છતાં અપહર્ણકર્તાઓ દ્રારા અકારણ આઠ વર્ષના બાળકની હત્યા કરી દેવામાં આવી હતી. શુક્રવાર સાંજે બાળકની લાશ મળી આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેની અસર આજે સવારે વેપારી આલમમાં સજ્જડ બંધ સ્વરૂપે જોવા મળી છે.
બોરસદ જેવા નાના શહેરમાં પણ આ પ્રકારની ઘટના બને તે બોરસદના શહેરીજનો માટે ચિંતાનો વિષય છે. જેના વિરોધમાં આજે બોરસદનો વેપારીવર્ગ પણ જોડાયો છે. આજે વેપારીઓ દ્રારા સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છેકે બોરસદ શહેરમાં ગુરૂવારે આઠ વર્ષના બાળકનું અપહરણ થયું હોવાના સમાચાર વહેતા થતાં શહેર ચોંકી ઉઠ્યું હતું. જોકે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસ પોતાની રીતે તપાસ આરંભી દીધી હતી. અપહરણકર્તાઓએ અપહ્યત બાળકના પિતા પાસેથી પચ્ચાસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે અપહ્યત બાળકના પિતાએ આપવાની તૈયારી બતાવી હતી તેમ છતાં અપહર્ણકર્તાઓ દ્રારા અકારણ આઠ વર્ષના બાળકની હત્યા કરી દેવામાં આવી હતી. શુક્રવાર સાંજે બાળકની લાશ મળી આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેની અસર આજે સવારે વેપારી આલમમાં સજ્જડ બંધ સ્વરૂપે જોવા મળી છે.
પોલીસે ચાર આરોપીની આ મામલે ધરપકડ કરી છે. આ ચારેય આરોપી નાની ઉંમર હોય તેમ જણાયું છે. જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે જેથી હવે ન્યાયિક પ્રક્રિયા સત્વરે પૂર્ણ થાય અને આ આરોપીને કડક સજા મળે તેમ લોકો ઈચ્છી રહ્યાં છે. જેથી આ પ્રકારની ઘટનાનો શિકાર અન્ય બાળક ન બને.
ચરોતર પંથકના બોરસદ જેવા નાના શહેરોમાં આ પ્રકારે અપહરણ કરીને ખંડણી માંગવાની ઘટના ચિંતાનો વિષય છે. જોકે મનાઈ રહ્યું છેકે પોતાની ઓળખ છુપાવાના ઈરાદે આ બાળકની હત્યા થઈ હોય. બોરસદવાસીઓ માટે આ ચિંતાનો વિષય છે જે પ્રકારે જલ્દીથી રૂપિયા કમાવાની લાલચે ગુનાહિત પ્રકૃતિ ધરાવતો લોકો માટે નાનું બાળક નિશાન બન્યું છે.
સીએનએને મળેલી માહિતી મુજબ આ ઘટના બાદ પંથકમાં અમુક તત્વો દ્રારા કોમી રંગ આપવાના ઈરાદે ફેસબુક જેવા સોશ્યલ પ્લેટફોર્મ ઉપર ફોટા મુકવામાં આવ્યાં છે .જેમાં આ ઘટનાના જવાબદાર મુસ્લિમ સમુદાયને ગણાવ્યાં છે. અને તે માટે બોરસદ મુસ્લિમ સમુદાયનો વિરોધ કરવાની વાત કહી છે.
રાકેશ પંચાલig
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com