ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

મોદી જ બનશે પ્રધાનમંત્રી : સિંહા

ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાની ગુપ્ત બેઠક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે થવાની છે. જે અંગે ગુજરાત ભાજપના મોટાભાગના નેતાઓને જાણ નથી. તેવી પરિસ્થિતિમાં આ બેઠકને લઈને અનેક તર્કવિતર્કો થઈ રહ્યાં છે.

ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા આજે શનિવારે 24મી ઓગષ્ટના રોજ સવારથી જ અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ તેઓ ગાંધીનગર તરફ રવાના થયા હતાં. જ્યાં તેમની ગુપ્ત બેઠક મુખ્યમંત્રી નરેન્દ્ર્ મોદી સાથે થવાની છે. મોટાભાગના ભાજપના નેતાઓને આ મુલાકાત અંગે કોઈ જાણકારી ન હતી. જોકે તેમની ગુપ્ત બેઠક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના ગાંધીનગર ખાતેના નિવાસ્થાને થશે. જેમાં અન્ય પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની  ચૂંટણી તેમજ મથુરા રેલી બાબતે ચર્ચાઓ થઈ શકે તેવી માહિતી મળી છે.

જોકે ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાને મોદી વિરોધી તરીકે જોવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મોદી તરફી તેમનું વલણ બદલાયું છે જેની અસર સીધી તેમના નિવેદનો પણ જણાઈ આવે છે. મીડિયા સાથે નાનકડી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે હવે જો પ્રધાનમંત્રી બનશે તો મોદી જ બનશે.

રાકેશ પંચાલ
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |