ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ખાસ વાતચીત - સુબ્રમણ્યમ સ્વામી અને સીએનએ

ખેડાના નડિયાદ ખાતે છઠ્ઠી ફેબ્રુઆરી 2013ના રોજ જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામી આવ્યા હતા. તે દરમ્યાન તેમની થયેલી ખાસ વાતચીતમાં તેમને અનેક મુદ્દે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.

ભગવો આંતક 
પ્રશ્ર : આતંકવાદમાં ભગવો આતંક નામનો નવો શબ્દ ઉમેરાયો છે. અને વિવાદ થયા છે, આ બાબતે આપનું શું કહેવું છે ?

ઉત્તર : આ બાબતે બોલનારાઓનું મગજ ખરાબ છે વાસ્તવમાં આ બાબતે બોલનારાઓ પાસે કોઈ આધાર નથી. સાધ્વી પ્રજ્ઞા જેલમાં હોવા છતાં તેની ઉપર કોઈ પણ પ્રકારનો કેસ આ લોકો ચલાવી શક્યા નથી. આ લોકો ચૂંટણીમાં હારી જશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ કેન્દ્રીય રાજનીતિમાં આગળ થઈ રહ્યું છે ત્યારથી આ લોકો વધારે પડતાં ગભરાઈ ગયા છે. આ લોકો ભગવા આંતક બાબતે બોલે છે ત્યાં સુધી ઠીક છે પરંતુ કોઈ એક્શન લેશે તો ચોક્કસ તેમને જોરદાર જવાબ આપવામાં આવશે.

આર્થિક સ્થિતિમાં મજબૂતી

પ્રશ્ર : દેશની રાજકીય સ્થિતિ વિવાદોની વચ્ચે ફસાયેલી છે ત્યારે આર્થિક  સ્થિતિને વધારે મજબૂત બનાવા માટે તમારું શું મંતવ્ય છે.

ઉત્તર : સૌથી પહેલા તો વર્તમાન સરકારને ભગાડવી જોઈએ. આ વર્તમાન સરકાર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મારાથી કોઈ પણ સૂચન કરી શકાય તેમ નથી  જે આ સરકાર કાર્યાન્વિત કરી શકે.

આંકડાની માયાજાળ

પ્રશ્ર : જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્રારા વિવિધ ક્ષેત્રે થયેલો વિકાસ અને તેના આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે. તે બાબતે આપ શું કહો છો.

ઉત્તર : આ આંકડા મીડિયાને તે લોકો બતાવી શકે પરંતુ મને ન બતાવી શકે. જાહેર પ્રેસ કોન્ફરન્સમાં મારી સામે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિનિધીને બેસાડો તો  કોંગ્રેસના ધજાગરા ઉડી જશે. જુઠો પ્રચાર સરકાર ઘણો કરે છે જેનો કોઈ હિસાબ નથી.

મોદી અને પીએમ પદ

પ્રશ્ર : તમારા મતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદ માટે નિશ્ચિત ઉમેદવાર ક્યારે મનાશે ?

ઉત્તર : નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ માટે નિશ્ચિત ઉમેદવાર ત્યારે થશે જ્યારે પક્ષ તરફથી તેની ઘોષણા થશે. અથવા લોકસભાનાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ નિશ્ચિત થઈ જશે. આ બાબતે મીડિયા વધારે પડતી ચિંતા કરી રહ્યું છે. અને મોદી મન બનાવશે તો મોદીને કોણ રોકી શકે તેમ છે.

ચૂંટણી 2014કોની કોની વચ્ચે ટક્કર

પ્રશ્ર : વર્ષ 2014માં થનારી લોકસભાની ચૂંટણીમાં મોદી અને રાહુલ ગાંધી વચ્ચેની ટક્કરને તમે કેવી રીતે જોવો છે.

ઉત્તર : આ તો બહાદુર અને બુદ્ધુ વચ્ચે થનારી ટક્કર છે.

( રાકેશ પંચાલ )


All right reserved by : ચરોતરનો અવાજ |