
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિેંહ વાઘેલાએ જણાવ્યું હતું કે બંઘને
નિષ્ફળ કરવા માટે ભાજપ અને સરકારી અધિકારીઓ પુરજોશ કોશિશ કરી રહ્યાં છે. આ ઉપરાંત
કોંગ્રેસના ખેસ નાખીને ભાજપના અહિંસક તત્વો અશાંતિ ફેલાવાની કોશિશ કરી શકે તેવી
ભીતિ અમને સેવાઈ રહી છે. જેથી અમે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે બંધના
દિવસે કોઈ અજાણ્યો માણસ કોંગ્રેસનો ખેસ નાખીને બંઘમાં કાર્યકર્તાઓની વચ્ચે દેખાય
તો સીધો તેને પોલીસને હવાલે કરી દેવો.
પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું
હતું કે જો કોઈ સરકારી અધિકારી પોતાના મર્યાદો ઓળગીને ભાજપના કાર્યકર્તા બનવાની
કોશિશ કરશે તો તેને યોગ્ય પાઠ ભણાવામાં આવશે.
જોકે ભાજપે આ બાબતે અગાઉથી વિશ્વાસ વ્યક્ત
કર્યો છે. ગુજરાતની જનતાએ બંધને સમર્થન કરશે નહીં તેનો અમને પૂર્ણ વિશ્વાસ છે.
કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકો
સ્વંયભૂ બંધ પાળશે અમને વિશ્વાસ છે અને તેમને શાળાઓ, વેપારીઓ તેમજ જનતા તરફ સમર્થન
મળી રહ્યું છે. અને ગુજરાત જડબેસલાક બંધ રહેશે.
ગુજરાતભરમાં પોલીસ દ્રારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અંદાજે 80,000 જેટલા પોલીસ જવાનો સ્ટેન્ડટૂ રહેશે. રાજ્ય સરકારે તમામ તંત્રોને આદેશ કરી દીધો છે કે કોઈ પણ કાળે કોંગ્રેસના બંધ નિષ્ફળ કરવો.
ગુજરાતભરમાં પોલીસ દ્રારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અંદાજે 80,000 જેટલા પોલીસ જવાનો સ્ટેન્ડટૂ રહેશે. રાજ્ય સરકારે તમામ તંત્રોને આદેશ કરી દીધો છે કે કોઈ પણ કાળે કોંગ્રેસના બંધ નિષ્ફળ કરવો.