ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આણંદના ગણેશ ફેલાવી રહ્યાં છે મીઠાશ


ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિ અમુક ભક્તો જાતે જ નક્કી કરેલી થીમ તૈયાર કરવામાં આવે છે  અથવા તો બજારમાં ગમતી પ્રતિમા લાવીને સ્થાપન કરવામાં આવે છે.પરંતુ ચરોતર પંથકના આણંદ શહેરમાં માવો અને ચોકલેટમાંથી બનેલી ખાસ ગણેશજીની પ્રતિમા લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.

આણંદ શહેરના સીપી કોલેજ પાછળ ડાહ્યાભાઈ પાર્કમાં સ્થાનિક યુવાનોએ વીસ દિવસની સખ્ત મહેનત બાદ જેમ્સ ચોકલેટની ગોળીથી ગણેશજી પ્રતિમા બનાવી છે. જેમાં ત્રીસ હજાર જેમ્સ ચોકલેટ ગોળીનો ઉપયોગ થયો છે. જેને જોવા માટે ભારે સંખ્યામાં ભાવિભક્તો આવી રહ્યાં છે.

બીજી તરફ આણંદ શહેરના ભગતસિંહ સ્ટેચ્યુ પાસે ગુરૂનાનક સોસાયટીમાં યુવક મંડળ દ્રારા બરાબર એક મહિનાની મહેનતથી સુકા મેવાથી કલાત્મક ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જેમાં ત્રીસ કિલો સુકો મેવો વપરાયો છે.  વર્ષે આ મંડળ અલગ અલગ થીમ પર દાદાની પ્રતિમાઓ તૈયાર કરે છે. 





Photo By Iqbal Saiyad, Reporter,Anand
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |