ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ભાઈ, અમારી ભુલ શું ?

આજે શનિવારે મહાવીર જયંતિના દિવસે બે પ્રમુખ પાર્ટીઓ આમને સામને આવી ગઈ છે. એક પક્ષ જેની પાસે અમુક વર્ષોથી સત્તા આવી છે અને દાયકાઓનો અનુભવ વિરોધ કરવાનો છે. જ્યારે  બીજો પક્ષ જેણે વર્ષોની સત્તા ભોગી ચૂક્યાં બાદ  અમુક વર્ષોથી સત્તાવિહોણી છે અને  જેને વિરોધ કરવા માટે મુદ્દાની પસંદગી ખોટી કરવા ટેવાયેલી છે. તેણે આ વખતે ખોટા મુદ્દે વિરોધી પક્ષને સાણસામાં લેવાની કોશિશ કરી છે. જેની અસરથી લોકોના ધંધાને માઠી અસર પહોંચી છે.


મોટા શહેરમાં લોકોએ મોંઘવારીના સમયમાં પણ પોતાનો ધંધો ખોલ્યો પરંતુ તેમનું મન ધંધામાં પરોવાયું નથી. જેમણે ધંધો આજે ખુલો કરીને બેઠા હતાં તેમણે પણ ડર હતો કે હમણાં કોઈ આવશે અને મારી દુકાન બંધ કરાવી દેશે. જેથી તેવા વેપારીઓએ સવારે દુકાનો મોડી ખોલી હતી. અને અંતે જ્યારે પોલીસ બંદોબસ્ત અને કાર્યકર્તાઓની અવર જવર ઓછી થઈ ગઈ ત્યારે પોતાની દુકાનો ખોલી છે.

જે લોકોએ વહેલી સવારે રોજની જેમ દુકાનો ખોલી હતી તેમને બંધ કરવાની ફરજ પડી અને જ્યારે સુરક્ષાનો ભરોસો મળ્યો ત્યારે ફરી દુકાનો ખોલી. આમ આજે શહેરોના બજારોમાં દુકાનો બે વખત બંધ થઈ અને બે ખુલ્લી થઈ.

હોઈ શકે કે શહેર પ્રમાણે અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય પરંતુ દરેક વેપારીવર્ગની ચિંતા એક  હતી કે આજની આવક ખાડે ગઈ.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |