ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

અંકુર પટેલ હત્યાનો મુખ્ય દોષી ફરાર

અંકુર પટેલ હત્યા કેસ મામલે પોલીસે છ લોકોની અટકાયત કરી છે અને  હજુ મુખ્ય આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.


પાંચમી સપ્ટેમ્બરે આણંદ નજીક એસ.કે સિનેમા ખાતે અંકુર પટેલ અને તેના મિત્રો પર નાનકડી બાબતે હુમલો થયો હતો. જેમાં થિયેટરમાં સિસોટી ન મારવા બાબતે આપેલી સલાહને કારણે વાત અથડામણ સુધી પહોંચી ગઈ હતી. જેમાં યુવક અંકુર પટેલનું મોત નિપજ્યું હતું. જોકે ત્યાર બાદ પોલીસ તપાસને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં હતા. જોકે પ્રજાનો આક્રોશ વધી જતાં તપાસના ચક્રો ગતિમાન બન્યા હતાં જેના ફળસ્વરૂપ આજે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે જોકે મુખ્ય આરોપી સ્થાનીય કોર્પોરેટર મહેશ વસાવા હજું પણ ફરાર છે. મનાઈ રહ્યુ છે કે આ કોર્પોરેટર મહેશ વસાવા અંડરગ્રાઉન્ડ જતા રહ્યાં છે જેથી તેની શોધખોળમાં સમય લાગી રહ્યો છે.



Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |