ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

રાજ્યસભા સુધી પહોંચી વણઝારાની ચિઠ્ઠી

રાજ્યસભામાં વણઝારાની રાજીનામા ચિઠ્ઠીએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ પત્રમાં જે મુખ્યમંત્રી અને ભુતપૂર્વ ગૃહમંત્રી સામે આંગળી ચીંધવામાં આવે છે તે મૌન સેવીને બેઠા છે તેવી પરિસ્થિતિમાં કેન્દ્રીય રાજનીતિમાં સળવળાટ વધી ગયો છે જેની અસર રાજ્યસભામાં જોવા મળી.

આજે ગુરૂવારે 5મી સપ્ટેમ્બરના રોજ રાજ્યસભા શરૂ થવાની સાથે જ ડી.જી વણઝારાના રાજીનામા પત્રને મામલે ચર્ચા થવી જોઈએ તે બાબતે મુદ્દો ઉઠાવીને એસપી અને જેડીયુના સાસંદોએ ચર્ચાની માંગણી કરી હતી. તેમના મતે ગુજરાત સરકારના ઈશારે આ એકાઉન્ટર થયા હોવાનું આ વણઝારાનો પત્ર સુચવી રહ્યો છે. અને તે બાબતે ચર્ચા થવી જોઈએ જ્યારે સ્પીકરે જણાવ્યું હતું કે આ મામલે તપાસ થઈ રહી છે જેથી તેની ચર્ચા રાજ્યસભામાં ન થઈ શકે .જેથી નારાજ થયેલા એસપી અને જેડીયુના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું.


ઉલ્લેખનીય છેકે ડી.જી વણઝારાએ જ્યારે દસ પાનાનો રાજીનામું લખીને આપ્યું હતું ત્યારે રાજ્ય સરકાર સહિત કેન્દ્રીય રાજનીતિમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. તે વખતે શું પરિસ્થતિ સર્જાઈ હતી તે વાંચવા માટે ક્લિક કરો..

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |