ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

મોદીના નામે આરએસએસનું દબાણ

દેશમાં પાચ રાજ્યોની ચૂંટણી થશે ત્યારબાદ લોકસભાની ચૂંટણી થશે. જે માટે દરેક રાજકીય પાર્ટી કોઈ કચાશ રાખવા માંગતી નથી. તો ભાજપ માટે દૂધથી દાઝલો છાશ ફૂંકી ફૂંકીને પીવે તેવી સ્થિતિ સર્જાય છે. આરએસએસ ભાજપ પર પીએમ પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર કરાવાનું દબાણ કરી રહ્યો છે. તો બીજી તરફ ભાજપમાં આ બાબતે અનેક મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે.


દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી પોતાનો પીએમ પદનો ઉમેદવાર નક્કી કરી લે  તેવી ઈચ્છા આરએસએસ સેવી રહ્યું છે. તો બીજી તરફ આ બાબતે ભાજપામાં અનેક મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ, ભાજપના નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદ માટે જાહેર કરવામાં આવે તેનો વિરોધ કરી રહ્યાં નથી પરંતુ તેમને ડર છેકે  પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા લોકસભાની ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરી દેવામાં આવશે તો તેની અસર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં થઈ શકે છે.

જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય રહી છે તેમાં ચાર  હિન્દી ભાષી રાજ્ય છે અને એક ઉત્તર પૂર્વી રાજ્યમાં છે.  મોદીના નામની વિપરિત અસર રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં થશે તો તેની અસર લોકસભાની ચૂંટણીઓમાં થશે.

ઉલ્લેખનીય છે કે આરએસએસના નેતા ભૈયાજી જોશીએ શનિવારે મોડી રાત્રે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને બીજા અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |