ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

પેટ્રોલિયમ મંત્રીના પ્રસ્તાવે મચાવ્યો હોબાળો

આજે 2 સપ્ટેમ્બરના રોજ સંસદમાં બે અગત્યના બિલ પર ચર્ચા થવાની છે. લોકસભામાંથી પાસ થયેલ ફૂડ સિક્યોરીટી બિલ આજે રાજ્યસભામાંથી પસાર થશે. તો લોકસભામાં આજે આર.ટી.આઈ સંશોધન બિલ બાબતે ચર્ચા બાદ સર્વ સંમતિથી પાસ થશે તેવી આશા સેવાઈ રહી છે. પરંતુ પેટ્રોલ ડિઝલના ભાવને કંટ્રોલ કરવા માટે પેટ્રોલિયમ મંત્રીએ આપેલો અનોખા પ્રસ્તાવને કારણે સંસદમાં હોબાળો મચી જવા પામ્યો હતો.

આરટીઆઈ સુધારા બિલ  2013ની આજે ચર્ચા થવાની છે. જેમાં  રાજનૈતિક પાર્ટીઓને આર.ટી.આઈ એક્ટમાંથી બાકાત રાખવામાં આવે તે બાબતે બધીજ રાજનૈતિક પાર્ટીઓનો એકમત જોવા મળશે તેમ કહેવાય રહ્યું છે.

તો બીજી તરફ  રાજ્યસભામાં આજે લોકસભામાંથી પાસ થયેલ ફૂડ સિક્યોરીટી બિલ પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છેકે  13મી ઓગષ્ટના રોજ આરટીઆઈ એક્ટમાં સંશોધન અંગે ચર્ચા થવાની હતી પરંતુ તે દિવસે અચાનક યુપીએ ચેરપર્સન સોનિગા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢરાએ  હરિયાણામાં કરેલા જમીન સૌદાનો મુદ્દે સંસદના બન્ને ગુહોમાં હોબાળો થયો હતો. જેથી બન્ને ગૃહો સ્થિગત કરવાની ફરજ પડી હતી. જેથી આરટીઆઈ બિલ ટલ્લે ચઢી ગયું હતું. 

આજે પેટ્રોલ અને ડિઝલના ભાવે બન્ને ગૃહોમાં હોબાળો મચ્યો હતો. જેથી બન્ન ગૃહો સ્થગિત પણ કરવામાં આવ્યા હતાં. જેમાં પેટ્રોલ પંપ રાતે બંધ રાખવાનો નિર્ણય ફગાવામાં આવ્યો હતો જે પ્રસ્તાવ  પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો હતો.  જેથી હોબાળો મચી જવા પામ્યો હતો. જેમાં લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત થઈ હતી.જ્યારે રાજ્યસભા પંદર મિનિટ વાગ્યા સુધી સ્થગિત થઈ હતી. પરંતુ જ્યારે ફૂડ સિક્યોરીટી બીલ અંગે રાજ્યસભામાં ચર્ચા શરૂ થઈ ત્યારે ફરી ત્યાં હોબાળો થતાં તેને બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |