ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આજે રાખજો એક મિનિટની શાંતિ

એકવીસમી સપ્ટેમ્બર એટલે વિશ્વ શાંતિ દિવસ. આ દિવસની ઉજવણી પ્રથમ વખતે વર્ષ 1982માં થઈ હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ દિવસની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્રારા વર્ષ 1981માં થઈ હતી.

વર્ષ 2002 પહેલા આ દિવસની ઉજવણી સપ્ટેમ્બર મહિનાના દર ત્રીજા મંગળવારે થતી હતી. પરંતુ વર્ષ 2002માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ તેની ઉજવણી દર વર્ષે 21 સપ્ટેમ્બરે કરવામાં આવે છે.

આ દિવસે સફેદ કબુતર ઉડાડીને શાંતિનો સંદેશ આપવામાં આવે છે. ઉપરાંત બપોર દરમ્યાન એક મિનિટનું મૌન રાખવામાં આવે છે. દરેક ધર્મ અને સંસ્કૃતિમાં સફેદ કબૂતરનું મહત્વ દર્શાવે છે. જેમાં  સફેદ કબૂતર એ શાંતિનું પ્રતિક છે. કેથલિક, યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં કબૂતરને શાંતિનું દૂત માનવામાં આવે છે.

આ ઉપરાંત  સંયુક્ત રાષ્ટ્રના ન્યુ યોર્ક સ્થિત મુખ્ય મથકમાં શાંતિ બેલ રાખવામાં આવ્યો છે. વિશ્વ શાંતિ દિવસની ઉજવણીની શરૂઆત આ બેલને વગાડી કરવામાં આવે છે. આ બેલ દુનિયાભરમાંથી બાળકો દ્વારા એકઠા કરવામાં આવેલા સિક્કાઓને પીગાળીને બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના સંયુક્ત રાષ્ટ્ર એસોસિયેશન દ્વારા આપવામાં આવેલી ભેટ છે. જે યુદ્ધના દુષ્પરિણામોનો અહેસાસ કરાવતો રહે છે. આ બેલ પર `વિશ્વ શાંતિ અમર રહો' સૂત્ર કંડારવામાં આવ્યું છે.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |