ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આરએસએસે મોદી પર મારી મ્હોર

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દિવસ દરમ્યાનની ચર્ચા વિચારણા બાદ પોતાનો મત આપી દીધો છે જેમાં જણાવી દેવામાં આવ્યું છે કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ રહેશે. અને તે માટે ભાજપ પોતાના પક્ષ જલ્દી જણાવે. 8મી સપ્ટેમ્બરે ભાજપ અને આરએસએસ વચ્ચે સમન્વય સમિતિની બેઠક છે અને આ બાબતે વધારે સ્પષ્ટ્ર સંકેત મળશે. 


7મી સપ્ટેમ્બરે સવારથી જ દરેકની નજર આરએસએસના ટોપ લીડર્સની મળેલી બેઠક પર હતી. જેમાં વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે મોદીને લઈને ચર્ચા વિચારણા થવાની હતી. જેના શુભ સંકેત ગુજરાતના મુખ્યમંત્રીને મોદીને મળ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરએસએસની 7મી સપ્ટેમ્બરે સવારથી જ અગત્યની બેઠક ચાલી રહી હતી. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઈને સર્વસમંતિ સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે જેથી. આરએસએસના ટોપ લીડર્સ અને અન્ય સંગઠનો સાથે બેઠકો થઈ છે. જેમાં દરેકને જણાવી દેવામાં આવ્યું છેકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાનના પદ ઉમેદવાર બનશે. આરએસએસે ભાજપને ફેંસલો જણાવી દીધો છે. અને ખાસ કરીને મોદી વિરોધીઓને આ સંદેશો આપી દેવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે અને તે પહેલા મોદીના નામની જાહેરાત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે થઈ જાય તેમ આરએસએસ ઈચ્છી રહ્યું છે. અને 7મી સપ્ટેમ્બરે દિવસ દરમ્યાનની બેઠકમાં આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ભાજપે જલ્દી પોતાનો પક્ષ સાફ કરી દેવો પડશે.

7મી સપ્ટેમ્બરે સવારે  અમે કહ્યું હતું કે સાંજે મોદી માટે સારા સમાચાર મળશે..વાંચો
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |