ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ભરાયેલા વરસાદી પાણી માટે કોણ જવાબદાર ?

જ્યારે પણ ચોમાસા દરમ્યાન વરસાદ પોતાની સીમા ઓળંગે છે ત્યારે દરેક વખતે  પરિસ્થિતિ કાબૂ બહારની બની જાય છે. ઠેર ઠેર પાણી ભરાય જાય અને નાના મોટા શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો નિકાલ મોટો પ્રશ્ન બની જાય છે. વિકાસની વાતો માત્ર પોકળ સાબિત થાય છે. અમદાવાદ જેવા શહેરો પણ ચાર ઈંચ વરસાદમાં છલોછલ થઈ જાય છે. જ્યારે ચરોતર પંથકમાં નડિયાદ, આણંદ જેવા શહેરો માટે બે ઈંચ વરસાદ પણ વધારે છે. તેવી પરિસ્થિતિમાં આ બાબતે જાગૃત નાગરિકો સહિત સરકારી નિવૃત અધિકારો પાસેથી અમે આ મુશ્કેલીના નિવારણ અંગે મંતવ્યો જાણ્યાં.


સિવિલ એન્જિન્યર અને નિવૃત સરકારી અધિકારી કાર્તિક ઝવેરીના મતે આડેધડ બાંધકામની વિના વિચાર્યે આપવામાં આવતી પરમીટો આ બાબતનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત  મકાનો બાંધતા પહેલા બિલ્ડરને આર્થિક સહભાગી બનાવીને સ્થાનિક ઓથોરીટી વરસાદી પાણીના નિકાલ અંગે આગોતરી સિવિલ કાર્યવાહી પુર્ણ થયાની શરતે જ મંજુરી આપે તો વધુ ઘણું ઉચિત કહેવાય, ક્યારેક આ કામગિરી બિલ્ડીંગના બાંધકામ બાદ નજરઅંદાજ થવાની શક્યતા રહેલી છે.  વર્સ્ટ પોઝીશન ક્ન્સીડર કરીને આ મુદ્દાને અગત્યની પ્રાથમિકતા આપવી જરૂરી છે.ઘણીવાર ચોમાસામાં સામાન્ય અથવા એવરેજ વરસાદ થાય તો આવા પ્રશ્નો ઓછા ઉદભવેપણ ક્યારેક થતી અતિવૃષ્ટિ આવી કામગીરીના આભાવે આ બધાનું વ્યાજ સાથે નુકશાન કરાવીને પ્રજાને અને તંત્રને પારાવાર હાલાકીમાં નાખે છે.

કાંસની ડિઝાઈન બદલવી જરૂરી
જ્યારે અમુક જાગૃત નાગરિકોના મતે રાજ્ય સરકારની સિંચાઇ યોજના હસ્તકના નિર્મિત વરસાદી પાણીના નિકાલના કાંસો ૨૦ મી.મી.ની ડીઝાઈન મુજબ બનાવેલા હોય છે, એટલે એક ઈંચ વરસાદ પડે તો તેનો નિકાલ આ કાંસો સારી રીતે કરી શકે, અને જો વધારે વરસાદ પડે તો તે પાણી જે તે વિસ્તારોમાં ભરાયા બાદ જ વિસ્તારને જળબંબાકાર કરીને નુકશાન કર્યા બાદ જ ધીમે ધીમે નિકાલ થાય છે. હાલમાં વરસાદની વૈજ્ઞાનિક અને ભૌગોલિક બદલાયેલી પરિસ્થિતિઓને નજરમાં રાખીને જ સ્થાનિક તંત્ર દ્વારા શહેરી વિસ્તારને અડીને જતાં કાંસોની ડીઝાઈન મોડીફાઈ કરવા સરકારમાં અસરકારક રજૂઆત થવી જરૂરી છે.


સ્થાનિક કક્ષાએ આપતકાલીન વ્યવસ્થાપન તંત્ર વધારે સંગીન અને અધતન હોવું ઇચ્છનીય જ નહી પણ અતિઆવશ્યક છે.  નગરના જુના વરસાદી પાણીના નિકાલોની પુનઃ ચકાસણી કરીને તેને અનુરૂપ વરસાદી નિકાલના કાંસો/સ્ત્રોતોનું આયોજન જરૂરી છે. જરૂર જણાય તો શેહશરમ બાજુએ મુકીને કોઈ જગ્યાએ આ વરસાદી પાણીના જુના નિકાલમાં અવરોધો ઉભા થયા હોય તો તેને સત્વરે દુર્ કરવાની અને ભવિષ્યમાં પણ પુનઃનિર્મિત ન થાય તે અંગે કડક કાયદો કરવો જરૂરી છે.

ગ્લોબલ વોર્મિગ મુદ્દે સક્રિય કામગીરી
એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન માટે નક્કર પ્રોગ્રામ અને કડક કાયદાની જોગવાઈઓ કરીને બિનકાયદેસર વૃક્ષછેદન તથા ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો ઉભા કરતાં મુદ્દાઓના નિવારણ અંગે જન જાગૃતિ અને એન.જી.ઓ.ને મધ્યસ્થી બનાવીને કામગિરી કરવી ખાસ આવશ્યક છે.


Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |