ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

જૈસી કરની વૈસી ભરની

ચારા કૌભાંડ મામલે આરજેડી અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર થતાં જનતા જનાર્દનમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે વિરોધીઓ માટે બિહારની રાજનીતિમાં એક વિરોધી વધુ પાંજરે પુરાયો હોય તેમ સાબિત થયું છે.


17 વર્ષ જૂના ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ દોષી સાબિત થવાની સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતા દ્રારા નિવેદનો આપી રહ્યાં હતા. જેમાં બીજેપીએ આ ચુકાદોનું સ્વાગત કર્યું હતું. જેમાં બીજેપી નેતા રાજીવ પ્રતાપ રૂડીએ આ નિર્ણયથી બિહારની પીડિત જનતા સાથે ન્યાય થયો છે. જ્યારે બિહાર બીજેપીના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું નેતા લાલુ પ્રસાદ યાદવ સજાને જ લાયક છે.

જ્યારે સીબીઆઈ દ્રારા જણાવવામાં આવ્યું કે કાનૂને પોતાનું કામ કર્યું છે. અને સીબીઆઈ દ્રારા કેસની સારી રીત પૈરવી કરવામાં આવી હતી.

બહુચર્ચિત ચારા કૌભાંડમાં વર્ષે 1990નાં દાયકામાં થયેલાં આ કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદ પર નકલી બિલનાંઆધારે 37.70 કરોડ રૂપિયાનો ઘોટાળો કરવાનો આરોપ હતો. જોકે હવે દોષી સાબિત થઈ ગયાબાદ સજા ત્રીજી ઓક્ટોમ્બરે સંભાળવામાં આવશે. જોકે આ મામલે દોષીઓને સાત વર્ષનીવધારેમાં વધારે સજા થઈ શકે છે. અને તેમાં લાલુ પ્રસાદ યાદવને વધારે અસર કરી જાયછે. કારણ કે હમણાં જ સુપ્રિમ કોર્ટના આવેલા ફેંસલા પ્રમાણે લોકસભાની સદસ્યા લાલુપ્રસાદ યાદવની સમાપ્ત થઈ શકે છે. જોકે કોર્ટ 17વર્ષ બાદ આ મામલે આરોપીઓને દોષી જાહેર કરતાં લોકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામીછે. અને ફરી વખતે લોકોનો વિશ્વાસ ન્યાય પ્રણાલી પર ખરો ઉતર્યો છે.

 Article Written By Rakesh Panchal
 Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |