ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

બાળકોના ભોગ લેતી ચિલ્ડ્રન હોસ્પિટલ

પશ્ચિમ બંગાળના કોલક્તામાં આવેલી  બી.સી રોય હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની છે. આ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં અનેક નવજાત બાળકો  મોતને ભેટ્યાં છે. મનાઈ રહ્યું છે કે આ નવજાત બાળકો કૂપોષણનો શિકાર બન્યા છે.


મળતી માહિતી મુજબ, કોલક્તા ખાતે આવેલી બી.સી.રોય  હોસ્પિટલમાં એક પછી એક છેલ્લા ચાર દિવસમાં 32 જેટલા નવજાત બાળકોની મોત નિપજ્યાં છે. નવજાત બાળકોના મોતને લઈને બંગાળની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. જોકે બી.સી રોય હોસ્પિટલમાં ચાર દિવસમાં 32 નવજાત બાળકોના મોત બાદ સરકાર જાગી અને તંત્ર દ્રારા ત્રણ સભ્યોની કમિટી બનાવી દેવામાં આવી છે. જે આ બાબતે તપાસ કરશે. જોકે મનાઈ રહ્યું છેક આ નવજાત બાળકોના મોત કૂપોષણના કારણે થયું છે. છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલ પરિસરનું વાતાવરણ ગમગીન બની જવા પામ્યું છે. 

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |