ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા વસોને ગામને તાલુકાની મંજૂરી મળી જતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, નડિયાદ તાલુકામાં આવેલું વસો ગામ છેલ્લા ચાલીસ વર્ષથી વસો તાલુકાની માંગણી કરી રહ્યું હતું. પરંતુ તે બાબતે અનેક વખતે વિચારણ થઈ હતી પરંતુ તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું ન હતું. જેથી વસો પ્રજાને હતાશ થયા હોય તેવા અનેક કિસ્સા ભુતકાળમાં બની જવા પામ્યા છે.
વર્ષ 2013ની ગણેશ ચતુર્થી વસો ગામ માટે ફળદાયી નીવડી છે. વર્ષોનો સંધર્ષે તેમને સફળતા આજે અપાવી છે. આજે રાજ્ય સરકાર તરફથી વસો ગામનો તાલુકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. સરકારી સમચાર મળતાની સાથે જ વસો ગામની ઉજવણી બમણી થઈ જવા પામી હતી.
ગામના સરપંચ દિપકભાઈ દલવાડીના મતે આ દિવસ વસો ગામનો યાદગાર દિવસ છે .વસોના અગ્રણીઓ દ્રારા વર્ષો સુધી પેઢી દર પેઢી વસોને તાલુકા બનાવા માટેનો સંધર્ષ ચાલતો આવ્યો અને હવે સફળતા મળતા વસોવાસીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ જવા પામી છે.વસોના વેપારીઓના મતે આ વેપારીઓ માટ ઘણાં આનંદના સમાચાર છે. અને વેપારને ઘણો ફાયદો થશે.અમુક તાલુકા પ્રમાણે એજન્સીઓની ફાળવણી ધંધામાં થાય છે. હવે વસો તાલુકો બની જતાં મોટી મોટી કંપનીઓની એજન્સી અમને મળશે જે ફાયદાકારક છે.
છેલ્લા ઘણા દિવસથી વસોવાસી આ સારા સમાચારની રાહ જોઈને બેઠા હતા.પરંતુ આજે ગણેશ ચતુર્થીના દિવસે આ શુભ સમાચાર આવી જતાં લોકોએ ગણેશજીનો આભાર માન્યો હતો. અગ્રણી નેતા અને વસોની જનતાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.ઉજવણીના ભાગરૂપે ગામમાં આ સમાચાર વહેતા થવાની સાથે જ ફટાકડાં તેમજ વાગતે ગાજતે રેલી નીકળી હતી. જેમાં વસોજનો જોડાયા હતા. અને વાતાવરણ ઉલ્લાસમય બની જવા પામ્યું હતું.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.comછેલ્લા ઘણા દિવસથી વસોવાસી આ સારા સમાચારની રાહ જોઈને બેઠા હતા.પરંતુ આજે ગણેશ ચતુર્થીના દિવસે આ શુભ સમાચાર આવી જતાં લોકોએ ગણેશજીનો આભાર માન્યો હતો. અગ્રણી નેતા અને વસોની જનતાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.ઉજવણીના ભાગરૂપે ગામમાં આ સમાચાર વહેતા થવાની સાથે જ ફટાકડાં તેમજ વાગતે ગાજતે રેલી નીકળી હતી. જેમાં વસોજનો જોડાયા હતા. અને વાતાવરણ ઉલ્લાસમય બની જવા પામ્યું હતું.
ઉલ્લેખનીય છેકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વહીવટીતંત્રના લોકાભિમુખ વિકેન્દ્રીકરણની પહેલરૂપે આજે ગણેશચતુર્થીના પાવન પર્વે ગુજરાતમાં નવા ર૩ તાલુકાઓની રચનાની ઐતિહાસિક જાહેરાત કરી હતી.રાજ્ય સરકારના પ્રવકતા નાણા મંત્રી નીતિન પટેલ અને ઊર્જા મંત્રી સૌરભ પટેલે ગુજરાતની જનતાને નવા ર૩ તાલુકાની રચનારૂપે ગણેશચતુર્થીની અનોખી ભેટ આપનારા નરેન્દ્ર મોદીની આ જાહેરાતની વિશેષતાની ભૂમિકા આપી હતી. મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે કેબીનેટ સબકમિટીની ભલામણોના આધારે સૂચિત ર૩ તાલુકાઓની રચના કરવાની વિગતવાર દરખાસ્તો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
નવરચિત તાલુકાઓની વિગત
ક્રમ
|
મૂળ તાલુકો
|
નવરચિત તાલુકો
|
૧
|
ઉના
|
ગીર ગઢડા
|
૨
|
જૂનાગઢ
|
જૂનાગઢ સીટી
|
૩
|
ડીસા, દિયોદર, થરાદ
|
લાખણી
|
૪
|
મહુવા, ગારીયાધાર, પાલીતાણા
|
જેસર
|
૫
|
ચીખલી
|
ખેરગામ
|
૬
|
સમી
|
શંખેશ્વર
|
૭
|
પાટણ
|
સરસ્વતી
|
૮
|
પારડી
|
વાપી
|
૯
|
ડાંગ
|
વઘઇ
|
૧૦
|
ડાંગ
|
સુબીર
|
૧૧
|
કડી, મહેસાણા
|
જોટાણા
|
૧૨
|
ઝઘડીયા, વાલીયા
|
નેત્રંગ
|
૧૩
|
વાવ
|
સૂઇ ગામ
|
૧૪
|
ચોટીલા, મૂળી, સાયલા
|
થાનગઢ
|
૧૫
|
બરવાળા, ધંધુકા
|
ધોલેરા
|
૧૬
|
જસદણ
|
વિંછીયા
|
૧૭
|
ઠાસરા
|
ગલતેશ્વર
|
૧૮
|
સંખેડા, જેતપુર-પાવી
|
બોડેલી
|
૧૯
|
ખેડબ્રહ્મા
|
પોશીના
|
૨૦
|
ઝાલોદ
|
સંજેલી
|
૨૧
|
મહેસાણા, વિજાપુર, કડી, વિસનગર અને માણસા
|
ગોઝારીયા
|
૨૨
|
માતર, નડીયાદ
|
વસો
|
૨૩
|
સાવલી
|
ડેસર
|