ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

નિર્ભયાને મળ્યો ન્યાય

નિર્ભયા રેંગ કેસ મામલે દોષીઓને ફાંસીની સજા મળે તેમ દેશવાસીઓ ઈચ્છી રહ્યાં હતા. અને આજે સાકેત કોર્ટે 13મી સપ્ટેમ્બરના રોજ ચારેય દોષીઓને ફાંસી સજા આપી દીધી છે.

જોકે બચાવ પક્ષના વકીલ જણાવી રહ્યાં છેકે આ કેસમાં રાજકીય દબાણની અસર હેઠળ ચુકાદો આવ્યો છે. જે અયોગ્ય છે. આરોપીઓને સુધરવાની તક આપવાની જરૂરિયાત હતી. આ પ્રકારે ફાંસી આપીને અન્યાય કરવામાં આવ્યો છે.

આ ફેંસલો આવ્યા બાદ  પીડિતાના પરિવારજનો તેમજ દેશવાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી  છે. અને આ ચુકાદાની અસર આ પ્રકારની માનસિક વિકૃતિ ધરાવતા લોકો પર ભારે અસર કરશે તેમ જાણકારો માની રહ્યાં છે. સાકેત કોર્ટે આ ચુકાદો આપ્યો છે. એડીજી યોગેશ ખન્નાએ આ ચારેય દોષીઓને ફાંસીની સજા સંભળાવી છે.

જોકે ફરિયાદીના વકીલ જણાવ્યું હતું કે આ કેસ મામલે કોઈ રાજનૈતિક દબાણ ન હતું. યોગ્ય દલીલો અને પુરાવાના આધારે જ સજા આપવામાં આવી છે. અને આ પ્રકારના અપરાધીઓને  આજીવન કેદ કે ફાંસી મળે કોઈ ફર્ક પડતો નથી.

ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ની રાતે 23 વર્ષની નિર્ભયા પર ગેંગ રેપ કરનારા 6 આરોપીઓ પૈકી એક કિશોર (અવયસ્ક) આરોપીને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા બળાત્કાર અને હત્યામાં દોષિત ઠર્યો હતો અને તેને ત્રણની સજા કરવામાં આવી હતી. જ્યારે એક આરોપીએ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |