ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

દિલ્હીમાં કોંગ્રેસનો સીડી બોમ્બ

દિલ્હી ખાતે કોંગ્રેસે સવારે અગિયાર વાગ્યાની આસાપાસ પ્રેસ કોન્ફરન્સ કરીને તુલસી પ્રજાપિત એકાઉન્ટર મામલે સીડી બહાર પાડીને પોલ ખોલની રણનીતિ અપનાવામાં આવી છે. જો કે હવે વાત અહીં સુધી અટકશે નહીં. હવે રાજનીતિનો ગરમાવો ચરમસીમાએ પહોંચે તેવી શક્યતાઓ છે.

પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોંગ્રેસ જણાવ્યું હતું કે એક પત્રકારે સ્ટીંગ ઓપરેશન કર્યું છે. તે સીડી છે. આ તુલસી પ્રજાપતિ એકાઉન્ટર મામલે તથ્યોને ઉજાગર કરતી સીડી છે. જેમાં ભાજપના ત્રણ નેતાઓને આરોપી સાબિત કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પદથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કોંગ્રેસ દ્રારા કરવામાં આવી છે. ભાજપના ત્રણ નેતાઓ પર આરોપ લગાવામાં આવ્યાં છે. વર્ષ 2006માં તુલસી પ્રજાપતિ એકાઉન્ટર થયું હતું. સીબીઆઈ આ મામલે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે.  તુલસી પ્રજાપતિની માતા પાસે સહી કરાવી વકીલાતનામું મેળવવાનો આરોપ લગાવામાં આવ્યો છે. માજી ગૃહમંત્રી અમિત શાહને બચાવા માટે ભાજપાના સાંસદોએ ષડયંત્ર રચ્યું હતું. આ સીડીના આધારે કોંગ્રેસ દ્રારા કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી દેવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ આ કેસના મુખ્ય આરોપી છે. 




રાકેશ પંચાલ
News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |