ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

વિશ્વભરમાં પૂજનીય ગણેજી

વિધ્નહર્તા ગણેશજીની પૂજા માત્ર ભારતમાં જ થાય છે તેવું તમે માનો છો તો તમારી માન્યતા ખોટી છે કારણ કે  ગણેશજીની પૂજા દુનિયા અનેક દેશોમાં અલગ નામથી થાય છે.

ચીનમાં તુન-હુઆંગ, યૂનાનમાં ઓરેનસ, જાપાનમાં શોદેન અને કાંગિતેન આ ઉપરાંત જાવામાં તેમને મહાપિએનનાં રૂપમાં પૂજવામાં આવે છે. ભારતીય મહાદ્વીપના દેશો નેપાળ, શ્રીલંકા, બમૉ, તિબેટ બધામાં ગણેશજીની પૂજા થાય છે.

જાપાનમાં ગણેશજીને કાંગિતેન તરીકે ઓળખાય છે. જેનો અર્થ ભાગ્ય દેવતા થાય છે. ગણેશજીની આ મૂર્તિમાં એક હાથમાં મૂળો અને બીજા હાથમાં લાડું ધારણ કરેલા હોય છે. અમેરિકામાં લંબોદર ગણેશજીની મૂર્તિ મળી આવી છે.  દક્ષિણ અમેરિકાના બ્રાઝીલમાં ખોદકામ દરમિયાન ગણેશજીની મૂર્તિ મળી આવી છે.જ્યારે પડોશી દેશ ચીનનાં તુન-હુઆંગમાં એક ગુફાની દીવાલો પર મસ્તક પર પાઘડી ધારણ કરેલા ગણેશજીની મૂર્તિ છે. જેની આસાપાસ સૂર્ય-ચંદ્ર, અને બુદ્ધની પ્રતિમા છે. ચીનમા ગણેશજીના વિનાયક અને કાંગિતેન બે નામ છે. જ્યારે ઈરાની અને પારસીઓ પણ ગણેશજીની પૂજા કરે છે. જેને અહૂરમઝા નામથી ઓળખાય છે.  જેથી કહી શકાય કે વિશ્વની દરેક દેશની સભ્યતાઓમાં ગણેશજીનું સ્થાન પ્રમુખ રહેલું છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |