ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

દેશમાં ફરી રહ્યાં છે બે ખૂંખાર આતંકીઓ

ઈન્ડિયન મુજાહિદ્દીના ખૂંખાર આતંકી ટુંડા અને ભટકલની ધરપકડ થયા બાદ નિત્ય નવાં ખુલાસાઓ થઈ રહ્યાં છે. વધુ એક ખુલાસામાં આંતકી ભટકલે કહ્યું છે કે તેના બે આંતકીઓ વકાસ અને તહસીન ભારતમાં ફરી રહ્યાં છે.


વર્ષ 2011માં જુલાઈ મહિનાની 11 તારીખે મુંબઈના ઝવેરી બજારમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 17 લોકોના મોત થયાં હતા. જેનો એક વીડીયો ફૂટેજમાં આતંકી વકાસ દેખાયો છે. જેથી હવે આતંકી વકાસનો ચહેરો ઉજાગર થઈ જતાં તેની શોધખોળ કરવામાં દેશની પોલીસ તેમજ અન્ય  એજન્સીઓને સહાયક સાબિત થશે.

ભટકલના ખુલાસા બાદ આઈબીએ દેશભરના શહેરોમાં રેડ એલર્ટ જારી કરી દૈવામાં આવ્યું છે. જેમાં રાજ્યની પોલીસને આતંકી હુમલાને લઈને સતર્ક રહેવાનું જણાવી દેવામાં આવ્યું છે. જે રીતે ભટકલ અને ટુંડાની ધરપકડ બાદ ઈન્ડિયન મુજાહિદ્દીન નબળું પડ્યું છે તેને ધ્યાને રાખીને દેશમાં ફરી રહેલા આતંકીઓ વધુ એક મોટો બ્લાસ્ટ કરી શકે તેવી શંકા છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

તો બીજી તરફ આજે કેન્દ્રનો ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ નિવેદન આપ્યું છે કે હવે પાકિસ્તાનાના કરાંચી શહેરમાં સ્થિત દાઉદ ઈબ્રાહિમને પકડવા માટે એફબીઆઈનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અને તે દિશામાં તમામ પગલા ભરવામાં આવી રહ્યો છે. આતંકી ભટકલ અને ટુંડાની ધરપકડ બાદ જે રીતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને પકડવા માટેની માંગ ઉઠી રહી છે. તેને ધ્યાને રાખીને સરકાર તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરી રહી છે.  અને તે માટે જરૂરી તમામ મદદ અન્ય જગ્યાએથી લેવામાં આવશે. આ અગાઉ પકડાયેલા આતંકી ભટકલે કરેલા ખુલાસામાં જણાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ટારગેટ નંબર એકથી દસ છે. વધુ વાંચો,,ક્લિક કરો..
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |