ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

નવરાત્રિની અંતિમ ચરણની રમઝટ





















ગત શનિવારથી શરૂ થયેલ નવરાત્રિમાં વરસાદે ત્રણેક દિવસ બગાડ્યા બાદ બુધવારથી ગરબા જોશભેર રમાવા લાગ્યા છે. આજે શુક્વારે સાતમું નોરતું છે. અને શનિવારે આઠમું અને અંતિમ નોરતું છે. જેથી આ બન્ને દિવસ મનમૂકીને ગરબા ગાવા લોક થનગની ઉઠ્યાં છે.

વરસાદના વિધ્ન વચ્ચે પણ લોકો ગ્રાઉન્ડ પર ઉમટતા રહ્યા હતા. હવે નવરાત્રિના છેલ્લા બે દિવસ છે. એટલે લોકો ગ્રાઉન્ડ ઉપર ઉમટી પડશે. ઘણે ઠેકાણે રવિવારે પણ ગરબાનું આયોજન ચાલુ રાખવામાં આવ્યું છે. આ વખતે બે દશેરા છે. એટલે રવિવારે પણ ગરબા થશે.


પંડિતોના મતે આ વખતે ઘણા વર્ષો પછી પરંપરા તૂટી છે. આ વખતે સોળ શ્રાધ્‍ધ હતા અને તે સાથે નવ નોરતા પુરા છે, પરંતુ આ વખતે દશેરા અને નવમુ નોરતુ ભેગુ થઈ જાય છે. જેથી બે દશેરાની ઉજવણી થશે. ( તસ્વીર - રાજેશ ચાવડા )

Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |