ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ઝેરી પાણીએ પંથકના ખેડૂતોની ચિંતા વધારી

નવરાત્રિમાં અચનાક પડી રહેલો વસસાદ ખેલૈયાઓની મજા બગાડી રહ્યો છે તે સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે. ખેડૂતોનું માનવું છેકે આ વરસાદનું પાણી ઝેરી છે. અન તેની અસરથી અમારા ડાંગરનો પાક રાતોરાત નાશ થઈ ગયો છે.


મળતી માહિતી મુજબ, ચરોતર પંથકમાં આણંદ જિલ્લાના દેવા ગામ તરફના ખેતરોમાં ડાંગરનો પાક રાતોરાત બળી ગયો છે. ખેડૂતોના મતે છેલ્લા બે દિવસથી વરસાદ પડ્યો છે. તે ખેતરોમાં જમા થઈ ગયું છે. જેનો રંગ કાળા કલરનો થઈ ગયો છે. અને તે ઝેરી હોવાનું સૂચન કરે છે. અને ખેડૂતોને ખાત્રી છેકે આ વરસાદ ઝેરી વરસાદ છે અને જેથી અસરથી ડાંગરનો પાક રાતોરાત અસર થઈ જવા પામી છે. તેથી પાકનો નાશ થઈ ગયો છે.

સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સતત પડેલા વરસાદે અનેક ખેડૂતોના ડાંગરના ઉભા પાકને બેસાડી દીધો હતો. અને જે ખેડૂતોએ ડાંગરનું વાવતેત અંત સમયે કર્યું હતુ. તેમના ઉભા પાકને આ ઝેરી વરસાદે રાતોરાત અસર પહોંચાડી છે. અને આ પંથકનો ખેડૂતવર્ગ નિરાશામાં ધકેલાઈ ગયો છે.અમુક ખેડૂતોના મતે અમારા જીવનમાં અમે ક્યારેય આ પ્રકારનો વરસાદ જોયો નથી. જેથી પાણી ખેતરોમાં કાળું થઈ ગયું હોય અને રાતોરાત પાકનો નાશ થઈ ગયો હોય. આ પ્રકારનો વરસાદ પ્રથમ વખત જોયો છે. અને આ પડેલા વરસાદી પાણીની ચકાસણી થવી જોઈએ.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |