આણંદ સ્થિત ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની બેઠક મળી
હતી. જેમાં ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરી સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર
થવા પામી છે. ચેરમેન વિપુલ ચૌધરી અને રામસિંહભાઈ પરમાર બેઠક શરૂ થવાની સાથે
પત્રકારોને એજન્ડા મળ્યાં ન હોવાનું જણાવી બેઠક છોડીને જતા રહ્યાં હતાં. જોકે
તેમની ગેરહાજરીમાં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ ગઈ છે.


