ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ખત્તરનાક બની ગયેલો ને.હા.નં. આઠ

નેશનલ હાઈ વે દિવસને દિવસે ખતરનાક બની રહ્યો છે. સમયાંતરે થઈ રહેલા અકસ્માતોને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. રાત્રિ દરમ્યાન નેશનલ નંબર હાઈવે નંબર આઠ પર અકસ્માતોનો સીલસીલો વધી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છેકે વર્તમાન સમયમાં નેશનલ હાઈવે નંબર આઠ ઉપર કામગીરી ચાલી રહી છે. જે માટે રોડનું બન્ને બાજુ ખોદાકામ થયેલ છે. જે કારણોસર રાત્રિ દરમ્યાન અકસ્માતો વધી જવા પામ્યાં છે.

નાનકડાં ગામે ગરીબોનું સરકારી અનાજ ઝડપાયું

આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ સક્રિય બની જતાં ઘઉં અને મીઠાના જથ્થો પકડવામાં સફળતા મળી છે. છેલ્લા અનેક દિવસોથી પંથકમાં ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા બે દિવસથી તપાસનો ધમધમાટ તેજ કરી દીધો હતો. જેની અસરથી વાસદ નજીક આવેલા આંકલવાડી ગામમાંથી 176 કટ્ટા ઘઉં અને 1960 થેલી મીઠ્ઠાની મળી આવી છે.

ફેડરેશનના ચેરમેન વિપલુ ચૌધરીની ચિંતા વધી

આણંદ સ્થિત ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની બેઠક મળી હતી. જેમાં ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરી સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થવા પામી છે. ચેરમેન વિપુલ ચૌધરી અને રામસિંહભાઈ પરમાર બેઠક શરૂ થવાની સાથે પત્રકારોને એજન્ડા મળ્યાં ન હોવાનું જણાવી બેઠક છોડીને જતા રહ્યાં હતાં. જોકે તેમની ગેરહાજરીમાં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ ગઈ છે. 

આસારામના સાંઈ પોલીસના પિંજરે

સુરતમાં બળાત્કારના કેસમાં વોન્ટેડ રહેલા અને છેલ્લા ઘણા સમયથી ફરાર વિવાદાસ્પદ આસારામના પુત્ર નારાયણ સાંઈની આજે બુધવારે 4મી ડિસેમ્બરના રોજ દિલ્હી હરિયાણા સરહદ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

ઓવરટેક બાબતે તીક્ષ્ણ હથિયારથી હુમલો

આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાસે પહેલી ડિસેમ્બરના રોજ રાત્રે દસ વાગ્યે બાઈક ઓવરટેકની બાબતે ચાર વ્યક્તિઓએ ભેગા થઈ એક યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભારે હોહા મચી જવા પામી હતી.

જુઓ ફોટા : ચાદરના સહારે ફરાર થયા કેદી

સંઘ પ્રદેશ દમણમાં મંગળવારે સવારે ચાર વાગ્યે મોટી દમણ ફોર્ટની અંદર આવેલી સબ જેલમાંથી 6 કેદીઓ જેલની આશરે 40 ફૂટ ઉંચી દિવાલ કૂદીને ભાગી જવાની ઘટના બનવા પામી હતી. જેમાં 3 કાચા કાનનાં કેદી અને ત્રણ પાકા કાનનાં કેદીઓનો સમાવેશ થયો હતો.

એક જ રાતમાં ત્રણ વ્યક્તિઓના મોત

ચરોતર પંથકમાં સોમવારની રાતે ગમખ્વાર અકસમાતોની ભરમાર જોવા મળી હતી. સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી અકસ્માતોની વણઝાર એક વાગ્યા સુધી જોવા મળી. જેમાં ખેડા અને આણંદ જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

ડાકોરમાં ઠાકોરના શરણે પિતા-પુત્ર

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સોમવારે બનેલા એક બનાવે લોકોને ચોંકાવી દીધા હતા.  જેમાં પુત્ર અને પુત્ર એકસાથે ગોમતી તળાવમાં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને પુત્રનો જીવ બચાવામાં લોકોને સફળતા મળી હતી.

અપશુકનિયાળ રવિવાર : 7ના મોત, 15ને ઈજા

પંથકના તારાપુર વટામણ રોડ ઉપર આવેલ ફાઉન્ટન હોટલ સામે રવિવારના રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ છોટા હાથી અને આઈશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા સાત વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં.આ ભયાવહ અકસ્માતમાં 15 લોકોને ઈજાઓ પહોંચી હતી.

 ( ફોટો  પપ્પુ પટેલ )

ડોર ટુ ડોર કામગીરીથી પરેશાન નાગરિકો









નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં અનેક સોસાયટીના રહીશો પાલિકા તંત્રની કામગીરીથી નારાજ છે. જેના જીવતા પુરાવા વર્તમાન સમયમાં જોવા મળી રહ્યાં છે. નડિયાદ પાલિકા તંત્ર ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય તે હેતુથી કામગીરી શરૂ કરી હતી. તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે પાલિકા તંત્રએ જાહેરાતોનો સહારો લીધો હતો. પ્રારંભિક તબક્કે આ ડોર ટે ડોર કચરાનું કલેક્શન  નિયમિત રીતે થઈ રહ્યું હતું.

તંત્રની ગાઢ નિંદ્રા તોડવા ધરણાંનો સહારો


ચરોતર પંથકમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં નડિયાદવાસીઓ સહિત વડતાલ,પીજ,વસો, ઉત્તરસંડા જેવા અનેક ગામોને સીટી બસ સેવાનો લાભ મળતો થયો છે. અમુક મહિના અગાઉ ફરીથી મોટાપાયે શરૂ થયેલી સીટી બસ સેવાથી લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. પરંતુ તેની સામે દાયકાઓથી નડિયાદ શહેરમાં યથાવત રહેલી ટ્રાફિક સમસ્યા અને પાર્કિગ સમસ્યાનો ઉકેલ લાવવામાં નગર પાલિકા તંત્ર અને પોલીસ ગાઢ નિંદ્રામાં રહેતા જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેની અસરથી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્રારા રવિવારે 1 ડિસેમ્બરના રોજ ધરણાંનું આયોનજ કર્યું હતું .તેમની માંગ હતી કે પોલીસ અને નગરપાલિકાના તંત્ર આ બાબતે જાગૃત થાય તે હિતાવહ છે.

લોકોની નજરે સરદારની શાળા

સરદાર પટેલની યાદમાં ગુજરાતે જ્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવાની તૈયારીઓ કરી દીધી છે તેથી વિપરીત સરદારના માદરે વતન કરમસદમાં જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે શાળાને વર્તમાન સમય સુધી યોગ્ય બાંધકામવાળું મકાન પણ મળ્યું નથી.

વિદેશીઓથી રંગારંગ ચરોતર

નવેમ્બર મહિનાથી શરૂ થઈ જાય છે આગમન


ઠંડીમાં ફેરિયાઓને લાગ્યું મોંઘવારીનું ગ્રહણ


નવેમ્બર મહિનાની શરૂઆત થવાની સાથે ગુજરાત સહિત ચરોતર પંથકમાં ઠંડીનું જોર દિવસને દિવસે વધી રહ્યું છે. શિયાળો સ્વાસ્થ્યની દ્રષ્ટ્રિએ ઘણો ફાયદાકારક છે. જેને લઈને શિયાળામાં કસરત અને સુકા મેવા તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય છે. બજારોમાં શિયાળાની શરૂઆત સાથે જ સુકા મેવાની હાટડીઓ લાગી જવા પામી છે.

કંપનીના બેજવાબદાર વલણ સામે યુવકનો અવાજ

વાપની પેપરમીલમાં સખત મહેનત કરીને પરસેવો પાડી રહેલા મજૂરનો હાથ મશીનમાં આવી જતાં તેણે પોતાનો હાથ ગુમાવ્યો હતો. જે વર્તમાન સમયમાં કામવિહોણો બની જતાં બીજાનો રોટલો અને ઓટલો શોધતો થઈ ગયો છે. કંપની તરફથી આ ઘટના બાદ તેને કોઈપણ પ્રકારનું વળતર ન મળતાં તે વગર રૂપિયે ખોટા સિક્કા જેવો બની ગયો છે.જોકે તેની આ રજૂઆત સાંભળનાર કોઈ નથી તે વાતે તેને વધારે દુખની લાગણી અનુભવી રહ્યો છે.

માતમના પર્વ મહોરમને લઈને અનેરો ઉત્સાહ

તા.૧૩ નવેમ્‍બરનાં રોજ મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય ચરોતર પંથકમાં મુસ્લિમ બિરાદરો તાજિયા બની તૈયાર છે.મુખ્યત્વે દર વખતે મોહરમ તહેવારના બે મહિના અગાઉથી જ તાજિયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. મોહરમના ચોથા ચાંદથી તાજિયા બેસાડવામાં આવશે. આગામી તા.14મી નવેમ્બરના રોજ કતલની રાત બાદ તા.15મી નવેમ્બરના રોજ શહેરના વિવિધ જળાશયોમાં તાજિયા ટાઢા કરાશે.

ચરોતરમાં વિજય વિશ્વાસ અને સ્નેહ મિલનનો રંગ

સોમવારે રાજકીય ગરમાવો સ્નેહ મિલન  સમારંભ સ્વરૂપે જોવા મળ્યો હતો. 11મી નવેમ્બરે નડિયાદમાં કોંગ્રેસ દ્રારા સ્નેહ મિલન સમારંભનું આયોજન થયું. તો ભાજપ દ્રારા ચકલાસી ખાતે વિજય વિશ્વાસ સ્નેહ સંમેલન યોજાયો હતો. પ્રસ્તુત ફોટાઓમાં વરિષ્ઠ નેતાઓ સહિત કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહ આવનારી લોકસભાની ચૂંટણીને જોઈ શકાય છે.

(Photo By Nirav Soni, Published By CNA Team, Rakesh Panchal)

ચરોતર પોલીસ ચિંતાતુર, હોસ્પિટલમાંથી કેદી ફરાર

મલેરિયાની સારવાર લઈ રહેલો કેદી હોસ્પિટલથી ફરાર

સદ્દભાવના બાદ રિલાયેબલ બન્યાં મોદી

ભુગોળ અને ઇતિહાસ બદલનારી કોંગ્રેસ 

સારવારને બદલે કડવા વેણ સંભળાવતી હોસ્પિટલ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ના ભીલાડ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં દર્દીને સમયસર યોગ્ય સારવાર ન મળતાં ચાલીસ વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ફરિયાદ થવા પામી છે. મૃતકના પરિવારજનો હોસ્પિટલની બેદરકારીને દર્દીના મોતનું કારણ જણાવી રહ્યાં છે.
All right reserved by : ચરોતરનો અવાજ |